નવા ધમલપરના ગેલ માતા મંદિરે કાલે સોમવારે નવચંડી યજ્ઞ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આવતીકાલે 17 માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા ધમલપર મુકામે શ્રી ગેલ માતાજીના મંદિરે 17 માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પુજનનું આયોજન સોમવાર તા.16 ના દિવસે કરેલ છે. જેમાં માતાજીનું માંડલું આજે તા. 15એ રાત્રે 9 કલાકે, આવતીકાલે તા. 16એ સવારે 8 કલાકે નવચંડી સ્થાપન/પુજન, 9-30 કલાકે દાદાની સમાધી જારવાનું, 11 કલાકે નિજ મંદિરમાં પ્રસાદ/પુજન, બપોરે 1 કલાકે બીડુ હોમવામાં આવશે. અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ પ્રસંગે ભક્તોએ દેવ દર્શન કરવા તથા મહાપ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text