લુંટાવદરમાં ભાજપ દ્વારા આંગણવાડીનાં બાળકોને પોષણયુક્ત નાસ્તાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લાના લુંટાવદર ગામે કુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીનાં બાળકોને પોષણયુક્ત નાસ્તાના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લુંટાવદર ગામે મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા મોરચા પ્રમુખ નિતેશભાઈ બાવરવાનાં ગામે કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.સરપંચ રમાબેન વાઘેલા અને નિતેશભાઈ બાવરવાની હાજરીમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત નાસ્તાના બોક્સ આંગણવાડીનાં બાળકોને આપવામાં આવ્યા હતા.

- text

- text