મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતીની ઉજવણી

- text


 

મોરબી : આજરોજ રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપજીની પ્રતિમાને ફૂલ હાર કરવામાં આવ્યા હતા તેમજ મહારાણા પ્રતાપજીના સર્કલ પર શોભાસ્વરૂપે કેસરિયો લહેરાવ્યો હતો. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના હોદેદારો, રાજપૂત સમાજના હોદેદારો તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text