રાજકોટમાં ગુરુવારે અરવિંદ કેજરીવાલ મોરબીના ઉદ્યોગકારો સાથે ગ્રુપ મીટિંગ યોજશે

- text


મોરબીના ઉદ્યોગકારોએ મીટિંગમાં જોડાવવા ‘આપ’નો અનુરોધ

મોરબી : દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.ત્યારે મોરબીના ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે.આ ગ્રુપ મીટિંગ માટે ઉદ્યોગકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.આગામી તા.12ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે.ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારોને કેજરીવાલએ આમંત્રિત કર્યા છે.

- text

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ,ઉદ્યોગનું નામ મોકલી આપવું.જેથી એ મુજબનો સમય ફાળવી શકાય.અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ રહેશે.જેથી પ્રશ્નોની ચર્ચા માટે પૂરતો સમય ફાળવી શકાય.ઉદ્યોગકારોએ પોતાની વિગત આપ નેતા મોરબી પરેશ પારીઆ મો.8732918183 પર મોકલી આપવી.

- text