અણીયારી ટોલનાકા પાસે આઈસર ગાડીમાં આગ ભભૂકી

- text


આગ લાગવાનું કારણ અકબંધ, સદનસીબે જાનહાનિ ટળી

મોરબી : આજે બપોરના સમયે આઇસર ગાડીમાં અચાનક આગ લાગી હતી.આગના કારણે આઇસર ગાડીની કેબીન બરી ગઈ હતી.પરંતુ કોઈ જાનહાની થઇ ન હતી.આગ ક્યાં કારણે લાગી હતી .તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

અણીયારી ટોલનાકા પાસે આજે બપોરે આઇસર ગાડીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.પરંતુ આગ લાગવાના કારણે આઇસર ગાડીની કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી.ટોલનાકા પાસે આગ લાગતા ટોલનાકાના કર્મચારીઓ સહિત આજુબાજુમાં રહેલા લોકોમાં પણ દોડધામ મચી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

જ્યારે સમગ્ર બાબતે વાહન માલિક સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે થોડા દિવસ પહેલા ગાડીનો અકસ્માત થયું હતું.જેના કારણે તેઓએ આ ગાડીને વીમા કંપનીમાં રીપેર કરવા માટે આપી હતી.ત્યાંથી તેઓ ગઈકાલે સાંજે તેના ઘરે લઇ આવ્યા હતા અને આજે બપોરે તેઓ શો રૂમે તેમનું સ્પેર વ્હીલ લેવા માટે અને ગાડીનું હોર્ન બંધ હોવાથી તેવો શો-રૂમે જઈ રહ્યા હતા.તે સમયે દેવળીયાથી નીકળ્યા હતા અને અણીયારી ટોલનાકે પહોંચતા અચાનક જ ગાડીમાં આગ લાગી હતી.સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

- text

- text