- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડાથી સમઢીયાળા ગામ તરફ જવાના રોડ તરફ છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નવા ખડીપરા વિસ્તારમાં રહેતા મુળજીભાઇ ઉર્ફે ટીનો મનજીભાઇ વીકાણી ગઈકાલે ગારીડા ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રોડ પર પોતાની છકડો રીક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા પલટી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મુળજીભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.
- text
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text