મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા

- text


ગત રાત્રીના કેક કાપી પરશુરામ જયંતીની ઉજવણી કરી

મોરબી : મોરબી બ્રહ્મસમાજ દ્વારા ગઈકાલે બ્રહ્મસમાજના તમામ આગેવાનોની હાજરીમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા.તેમજ રાત્રીના બાર વાગ્યે કેક કાપી ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવણી કરી હતી.

મોરબીમાં બ્રહ્મણોના ઇષ્ટદેવ પરશુરામ દાદાની અખાત્રીજના દીને જન્મજયંતિ ધામ ધૂમથી કેક કાપી ઉજવનાર છે ત્યારે ભગવાન પરશુરામની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના તમામ આગેવાનોની હાજરીમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા અને રાત્રીના બાર વાગ્યે કેક કાપી ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવણી કરી હતી.

આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ,પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા,જગદીશભાઈ ઓઝા સહીત સમસ્ત બ્રહ્મસમાજ પાંખના કિશોરભાઈ શુક્લ,કેયુરભાઈ પંડ્યા,અમૂલભાઈ જોશી તેમજ મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ હાજર રહ્યા હતા.આ સાથે આજે યોજાનાર ભગવાન પરશુરામની જન્મજયંતિ ભાવભેર યોજાય એ માટે બ્રહ્મબંધુને વધુમાં વધુ હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.

- text

- text