- text
ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા
ટંકારા : ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા “ઉજ્વલ્લા દિવસ”ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા.
- text
ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા , ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આજ તા.૧/૫/૨૦૨૨ના રોજ “ઉજ્વલ્લા દિવસ”ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન ઉપયોગી સાચી જાણકારી આપી હતી.
- text