ટંકારામાં આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ઉજ્જવલા દિવસ ઉજવાયો 

- text


ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા

ટંકારા : ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા “ઉજ્વલ્લા દિવસ”ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા.

- text

ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા , ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આજ તા.૧/૫/૨૦૨૨ના રોજ “ઉજ્વલ્લા દિવસ”ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન ઉપયોગી સાચી જાણકારી આપી હતી.

- text