ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂભાવવંદના કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી ખાતે “ગુરૂભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા. 1ને રવિવારના રોજ સાર્વજનિક હાઇસ્કૂલ-ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરવા ‘ગુરૂભાવવંદના’ કાર્યક્રમ મોરબીમાં સરસ્વતી ફાર્મ, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ ગુરૂજનો જી. કે. રાઠોડ, સ્વ. એસ. એ. ગોસ્વામી, બી. જી. વડઘાસીયા, સી.એમ. વડસોલા, બી. કે. હુલાણી, વી. બી. પારજીયા, જે. એમ. ગોહીલ વગેરેનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવવંદના સન્માન કરી સહપરિવાર આશિર્વાદ મેળવશે.

- text

ગુરૂજનોના સન્માનની સાથે-સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવી ચૂકેલા તથા હાલમાં ફરજ પર રહેલા વીરસૈનિકોનું પણ સન્માન કરી તેઓની રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના સોનેરી સમયના ત્યાગ-બલિદાન અને સમર્પણભાવ પ્રત્યે લાગણી વ્યકત કરશે.

આ કાર્યક્રમમાં ખાખરેચી-સાર્વજનીક હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાસર, કુંભારીયા, વેજલપર, રોહીશાળા, ખાખરેચી તથા અન્ય ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે.

વિશેષ વિગત માટે મહેશભાઈ જી. પારજીયા મો. 99797 52044 અને કાંતિલાલ એન. માનસેતા મો.ન. 99045 75474 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text