મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા ઠેર-ઠેર પાણીની ટાંકી મુકાઈ

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આ કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓની તરસ છીપાવવા ઠેર-ઠેર પાણીની ટાંકી મૂકવામાં આવી હતી.

આ પ્રોજેક્ટમાં કવિતા મોદાણી, રંજના સારડા ચંદા , ચંદા કાબરા, રેખા મોર, કુસુમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંઘી, અને કલ્પના શર્મા જોડાયા હતા.

સંસ્થાનો આ એક નાનકડો પ્રયાસ હતો. ભવિષ્યમાં આવા અનેક સેવાભાવી કાર્યો કરી સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરી મોરબીમાં સ્થાન હાંસલ કરશે. આવા ઉમદા કાર્યમાં લોકો જોડાતા રહે તેવી પણ સંસ્થાની આશા છે.

- text

- text