મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ અને તેની ટીમનો કાલે મંગળવારે શપથવિધિ સમારોહ

- text


 

મોરબીઃ ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વર્ષ 2022-23ના પદ્માનિત પ્રમુખ અને તેમની ટીમનો આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાનાર છે.

ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વર્ષ 2022-23ના નવનિયુક્ત પ્રમુખ ઈન્ડિયન લાયોનેસ નયનાબેન બારા તેમજ તેમની ટીમનો શપથવિધિ સમારોહ આવતીકાલે તારીખ 19 એપ્રિલને મંગળવારના રોજ સવારે 11 કલાકે મોરબીના રામ ચોક ખાતેના લોહાણા વિદ્યાર્થી ભૂવનમાં યોજાશે. ઈન્ડિયલ લાયોનેસ ક્લબ- મોરબીના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ અને સેક્રેટરી મયુરીબેન કોટેચાએ આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

- text

આ શપથગ્રહણ સમારોહમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબના નેશનલ કો-ચેરમેન ઈન્ડિયન લાયોનેસ (ઈ.લા.) ધીમંતભાઈ શેઠ ઉપસ્થિત રહેશે. આ ઉરરાંત વિશેષ અતિથિ તરીકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈ.લા. શોભનાબા ઝાલા, સ્ટેટ પ્રેસિડેન્ટ ઈ.લા. વિજ્યાબેન કટારિયા, સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ઈ.લા. ધીરુભાઈ સુરેલિયા, સેક્ટર ચેરમેન ઈ.લા. સુરેશભાઈ કટારિયા હાજરી આપશે. જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં નિલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને પ્રેસ પ્રેસિડેન્ટ અતુલભાઈ જોષી હાજર રહેશે.

- text