મોરબીમાં સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યાત્રા યોજાઈ

- text


શોભાયાત્રામાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

મોરબી : મોરબીમાં સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યાત્રા યોજાઈ હતી. વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને સંત વેલનાથ બાપુના જન્મોત્સવને હરખભેર મનાવ્યો હતો.

મોરબીમાં આજે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિવિધ ફ્લોટસ સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જો કે કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના સ્ટેશન રોડ પર થઈ મુખ્યમાર્ગો ઉપર ફરીને સામાકાંઠે સમાજની વાડી ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. જ્યારે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રાની સાથે અન્ય કાર્યક્રમો યોજાયા હતા. જેનો સમાજના લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

- text

- text