ખોખરા હનુમાન હરિહરધામ કથા સ્થળે પહોંચવા બસ સુવિધા ઉપલબ્ધ

- text


 

મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ ખાતે પૂજ્ય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખેથી રામકથાનું રસપાન કરવા માટે નગરપાલિકા દ્વારા બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, તથા ચીફ ઓફિસરના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત બસ સુવિધા ઉપલબ્ધ થશે. જે મુજબ બસ નરસંગ ટેકરીથી સવારે 08:00 કલાકે ઉપડી નવા બસ સ્ટેન્ડ સવારે 8:05 કલાકે, ગાંધી ચોક 8:10 કલાકે, વીસી ફાટક 8:15 કલાકે, મહારાણા પ્રતાપ ચોક 8:20 કલાકે, મહેન્દ્રનગર 8:30 કલાકે, પીપળી 8:40 કલાકે, બેલા 8:50 કલાકે પહોંચી ખોખરા હરિહરધામ ખાતે સવારે 9:00 કલાકે પહોંચશે. આ જ રીતે આ બસ બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે 1:15 કલાકે એ જ રૂટ પરથી પરત ફરશે.

- text