નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રયત્ન,પ્લાનિંગ અને પુરુષાર્થ થકી જીવનમાં સ્વપ્નો પૂરા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text

આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.અવાર નવાર શાળાને ઉપયોગી અને સહકાર આપતા મૂળ નેકનામના ઉદ્યોગપતિ એવા સાણંદિયા બંધુઓનો આચાર્યએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text