માળીયાની સત્યસાંઈ વિદ્યામંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


માળીયા : માળીયા (મી.)ની સત્યસાંઈ વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માળીયામાં પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ સત્યસાંઈ વિદ્યામંદિર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલ હતો.આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ વર્ષાબહેને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપેલ હતું.તેમજ શાળાના શિક્ષક સુમરા સૈલાબ,અલારખા સુમરા,દિવ્યેશભાઈ,ભાવેશભાઈ,જયદીપભાઇ,પ્રદીપભાઈએ વિદ્યાથીઓને માર્ગદર્શન આપ્યું હતું.તેમજ વિદ્યાથીઓએ પોતાના અનુભવો શેર કરેલ હતા.જેમાં ખાસ તો શિક્ષક સુમરા સૈલાબ દ્વારા પરીક્ષાને લઈને મૂંઝવણ બાબતમાં તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી,કેવી રણનીતિ અપનાવવી તે બાબતમાં મોટીવેશન પૂરું પાડેલ હતું અને વિદ્યાથીઓમાં જુસ્સો ભરેલ હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text