માળીયાના વવાણીયામાં 10મીએ ફ્રી નિદાન કેમ્પ તથા 13મીએ રક્તદાન કેમ્પ યોજાશે

- text


સ્વ .નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નિદાન કેમ્પનો લાભ લેવા નામ નોંધણી ફરજીયાત

માળીયા (મી.) : માળીયા(મી.)ના વવાણીયામાં સ્વ.નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રિ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.નિદાન કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ દવા આપવામાં આવશે.આ નિદાન કેમ્પનો લાભ લેવા નામ નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.તેમજ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ભેટ આપવામાં આવશે.

ખોડિયાર માતાજી તથા રાજચંદ્રની નીશ્રામાં વવાણિયા તથા આજુબાજુના ગામના લોકો માટે હાડકાં-સાંધાના દુઃખાવાના દર્દીઓ તેમજ ચામડીના રોગ જેવા કે ધાધર,ખૂજલી,ખરજવું જેવા રોગના દર્દીઓ માટે સ્વ.નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તથા રક્તદાન કેમ્પ પણ યોજાશે.આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર તથા દવાનું વિતરણની કરવામાં આવશે.આ નિદાન કેમ્પનો લાભ લેવા દર્દીઓએ નામ નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.

આ કેમ્પમાં ડો.દિપકભાઇ શેઠ[M.B.B.S., M.S. (Ortho.)] તથા ડો.પ્રતીકભાઇ સિધ્ધપુરા [M.D.(Skin)] સેવા આપશે.આ નિદાન કેમ્પ આગામી તા.10ને રવિવારના રોજ સવારે 9 થી 1:30 વાગ્યા સુધી શ્રીમદ્ રાજચંદ્ર હાઇસ્કૂલ,વવાણિયા ખાતે તેમજ રક્તદાન કેમ્પ આગામી તા.13ને બુધવારના રોજ સવારે 9 કલાકે અદીબાની વાડી,મોમાઇ માતાજી મંદિર,વવાણિયા ખાતે યોજાશે.રક્તદાન કેમ્પમાં પ્રત્યેક રકતદાતાઓને એક આકર્ષક ગીફટ આપવામાં આવશે.

- text

આ બન્ને કેમ્પની વધુ માહિતી માટે હેલ્થ ઓફિસર નરેશભાઈ મો.76894 32032,શરદભાઈ મહેતા મો.98798 374242,ઘનુભા પરમાર મો.98254 00609,નિતીનભાઈ કોઠારી મો.99098 23999 પર સંપર્ક કરી શકાશે.

- text