મોરબીના વાવડી રોડ ઉપર પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર જીવન જયોત સોસાયટીમાં રહેતા રશ્મિતાબેન પ્રણવભાઇ વ્યાસ ઉ.27 નામના પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે હીચકાના હુક સાથે દુપટ્ટા વડે ગળેફાસો ખાઇ લેતા મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબ અકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. વધુમાં મૃતક પરિણીતાનો લગ્નગાળો સાડાપાંચ વર્ષનો હોય આ મામલે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text