મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ દ્વારા સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાયો

- text


મોરબી : રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં રવાપરના ડૉ. તરશીભાઈ કાશુદ્રા અને ચંદ્રકાન્તભાઈ કોઠીયાએ સહયોગ આપેલ. સાથે દિન દયાલ ગ્રુપના રાષ્ટ્રીય સચિવ હિરેનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધાર્મિષ્ટાબેન વ્યાસ, ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, જિલ્લા કન્વીનર લતાબેન પનારા, જિલ્લા પ્રમુખ જાગૃતિબેન પરમાર, તાલુકા ઉપાધ્યક્ષ ભૂમિકાબેન લૂકા, તાલુકા ઉપાધ્યક્ષ આરતીબેન ચાવડા, તાલુકા મંત્રી નરેશભાઈ પરેચા, આરતીબેન રતલાની અને મોરબી જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.

- text