મોરબીમાં જન ઔષધિ કેન્દ્રો દ્વારા ભારતીય જન ઔષધિ પરિયોજના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

- text


કાર્યક્રમ યોજી લોકોને યોજના અંગે માહિતગાર કરાયા

મોરબી : મોરબીમાં જન ઔષધિ કેન્દ્રો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવવામાં આવી છે ત્યારે મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા “સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત” તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ જરૂરિયાતમંદોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે જન ઔષધિ કેન્દ્રો ઉપર એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લકોને જન ઔષધિ કેન્દ્રો ઉપર શું શું લાભ મળે તેની માહિતી આપવામાં આવેલ હતી અને વધુમાં વધુ લોકોએ આ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.

- text