મોરબીમાં ફેફસાના કેન્સરથી કંટાળી જાતે છરી મારી લેનાર આધેડનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઇ પરસોતમભાઇ મેણીયા નામના આધેડ છેલ્લા ત્રણેક માસથી ફેફસાના કેન્સરની બીમારીથી પડાતા હોય અને કેન્સરની બિમારીના કારણે ખુબ જ દુખાવો અને પીડા થતી હોય બે દિવસ પૂર્વે પોતાના ઘરે છરી વડે પોતાના પેટના ભાગે ઇજા કરતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર લીધેલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલમાં દાખલ કરાતા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text