પૈસા પણ ગયા અને જીવ પણ ગયો : વાંકાનેર નજીક ઉતરપ્રદેશના શ્રમિકની હત્યા

- text


હત્યારાએ ફોન કરી પૈસા લઈ જવાનું કહી યુવાનને રહેંસી નાખ્યો

વાંકાનેર : મોરબીના માટેલ નજીક સિરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક અન્ય શ્રમિક પાસે પૈસા માંગતો હોય બે શખ્સોએ ફોન કરી પૈસા લઈ જવા બોલાવી મોતને ઘાટ ઉતારી દેતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હત્યા મામલે બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ નજીક સિરામીક કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના નથુપુરા ગામના મદનપાલ કુંજબીહારી ઉ.20ની લાશ મળતા મૃતકના મોટાભાઈ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ,ઉ.24, રે.રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં, માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ રે.નથુપુરા તા.જી.મહોબા, ઉત્તર પ્રદેશ વાળાએ તેમના ભાઈની હત્યા થઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.

- text

વધુમાં ફરિયાદી પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલે મૃતક મદનપાલ આરોપી રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીજાઇન કારખાનુ, માટેલ રોડ તથા અશ્વીન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર વાળા પાસે પૈસા માંગતો હોવાથી આરોપી રાઘવેન્દ્રએ ફોન કરી પૈસા લઈ જવા બોલાવી બાદમાં મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જણાવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 114 મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text