વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ

- text


 

વાંકાનેર : વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

- text

રાજ્યપાલે રાજા કેસરીસિંહજીને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યા મુજબ વાંકાનેર રાજ પરિવારની પરંપરા અનુસાર રાજપરિવારના સોળમાં વંશજ તરીકે આપની તિલક વિધિ થવા જઈ રહી છે ત્યારે આ શુભ અવસરે વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં રાજ તિલક વિધિ સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે જાણીને ખૂબ જ ખુશી થઇ. પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે આ શુભ અવસર પર રાજ્યપાલ હાજરી આપી શકે તેમ ન હોય ત્યારે ખાસ આ શુભેચ્છા પત્ર મારફત પોતાની ખુશી વ્યક્તિ કરી છે.શુભેચ્છાપત્રના અંતે વધુ એકવાર મંગલ શુભકામના પાઠવી છે.

- text