રવિવારે સ્વામિનારાયણ સંપ્રદાયની ઓનલાઇન પારિવારિક સભા

- text


અમૃત મહોત્સવ અંતર્ગત દર એકાદશીએ ઓનલાઇન આયોજન

મોરબી : સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ નિમિત્તે યોજાનાર અમૃત મહોત્સવ અંતર્ગત દર એકાદશીએ ઓનલાઇન ગુરુકુલ પારિવારિક સભા યોજવામાં આવશે. જેમાં પ્રથમ સભા આગામી તા. 27 ફેબ્રુઆરીએ રાત્રે 9થી 10 કલાક દરમિયાન યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારિત થશે.

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષના ઉપક્રમે આગામી તા. 22થી 26 ડિસેમ્બરના રોજ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દર એકાદશીએ સમગ્ર ગુરુકુલ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલા-પુરુષ ભક્તોની ઓનલાઇન ગુરુકુલ પારિવારિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં દેવકૃષ્ણદાસ સ્વામીના આશીર્વાદ અને દેવપ્રસાદદાસ સ્વામીની પ્રેરણાથી પ્રથમ સભા આગામી તા. 27 ફેબ્રુઆરીને રવિવારે એકાદશીના રોજ રાત્રે 9થી 10 કલાક સુધી રાજકોટ ગુરુકુલ અને સુરત ગુરુકુલની યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારિત થશે. જેનો લાભ લેવા હરિભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text