મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે મા સરસ્વતીનું પૂજન-અર્ચન

- text


 

મોરબી: મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વસંતપંચમીના શુભદિને મા સરસ્વતીનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

- text

મા સરસ્વતીના મહાત્મ્યનો પાવન દિવસ એટલે વસંત પંચમી. મા સરસ્વતીની પૂજા કરવાથી કળા, સંગીત અને શિક્ષા ક્ષેત્રે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. એ અનુસંધાને આજરોજ મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે મહેશભાઈ ડાભી, લાલજીભાઈ કુનપરા તથા શાળા પરિવાર દ્વારા મા સરસ્વતીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ અભ્યાસમાં સફળતા મળે તે માટે વિદ્યાર્થીઓએ સરસ્વતી બીજનું પઠન કરી સાથે વસંતનું અભિવાદન કર્યું હતું.

- text