ઘુંટુમાં વૃદ્ધની હત્યા મામલે શકદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- text


વાડીએ ગાયોને નીરણ પૂરો કરવા આવતા મુન્ના વિરુદ્ધ મૃતકના પુત્રે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના ઘુંટુ ગામે ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળેલા વૃઘ્ધની મફલરથી ગળેટૂંપો દીધેલી હાલતમાં લાશ મળી આવવા મામલે મૃતકના પુત્રની ફરિયાદને આધારે ઘુંટુ ગામના મુન્ના કોળી નામના શખ્સ વિરુદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાઈ છે.

ગઈકાલે બપોર બાદ ઘુંટુના ધર્મગોલ્ડ પ્લોટીંગ નજીક ઘુંટુ ગામના ધરમશીભાઈ પરેચા ઉ.68ની લાશ મળી આવવા મામલે મૃતકના પુત્ર અશોકભાઇ ધરમશીભાઇ પરેચાએ હત્યાના આ બનવામાં શકદાર તરીકે ઘુંટુ ગામમાં જ રહેતા મુન્નાભાઇ સોમાભાઇ મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં મૃતક ધરમશીભાઈ ઘેરથી વાડીએ જવાનું કહ્યા બાદ પરત ઘેર ન આવતા તેમના પુત્ર અશોકભાઈએ અને અન્ય સંબંધીઓએ માંડલ રોડ ઉપર આવેલી તેમની વાડીના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો ત્યારે ધરમશીભાઈની વાડીમાં ગાયો બાંધતા જેઠાભાઇ નામના વ્યક્તિનો સાળો મુન્નનો અવાર નવાર વાડીએ નીરણ પૂરો કરવા આવતો હોય તેને જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની શંકા દર્શાવી અશોકભાઈએ ગુન્હો નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302 મુજબ ગુન્હો નોંધી મુન્નાને ઝડપી લેવા તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text

- text