મોરબીમાં પત્રકારોના હિતોની રક્ષા અને કલ્યાણ માટે ટ્રસ્ટની સ્થાપના કરાશે

- text


મોરબી પ્રેસ વેલ્ફેર એસો. સમિતિ હેઠળ ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવાયો

મોરબી : મોરબીમાં કામ કરતા અખબારો અને ટીવી ચેનલના પત્રકારોના હિત અને કલ્યાણ માટે મોરબી પ્રેસ વેલ્ફેર એસો. સમિતિ હેઠળ ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે અખબારો અને ટીવી ચેનલના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં મોરબી જિલ્લામાં કામ કરતા માન્ય પત્રકારોના વેલ્ફેર માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત મોરબી પ્રેસ વેલ્ફેર એસો.ના નામે એક સમિતિની રચના કરી પત્રકારોના હિતોની રક્ષા અને કલ્યાણકારી પ્રવૃતિઓ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવશે. જેના પ્રમુખ તરીકે અતુલ જોશી સહિતના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text