ફાયર સેફ્ટી મુદ્દે નાગરિકોના વાંધા-સુચનો મંગાયા

- text


વાંધા-સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે

મોરબી : ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન હેઠળ નાગરિકોના વાંધા-સુચનો આવકારવા મુદ્દત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ – ૨૦૧૩ હેઠળ નવા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન – ૨૦૨૧ બહાર પાડવામાં આવ્યું હતું.જેનો હેતુ ડ્રાફ્ટ તૈયાર કરી આખરી કરતાં પહેલા જાહેર હિતમાં લોકોના વાંધા-સૂચનો મેળવ્યા બાદ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઇ જાહેર હિતમાં લોકોના વાંધા સુચનો આવકારવા મુદ્દત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આગામી તા.૯ સુધી વાંધા સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે.તેમ મોરબી-વાકાંનેર શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એન.કે. મુછાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text