મચ્છુ ડેમમાં માછીમાર કરવા ગયેલા યુવાનનું ડૂબી જતાં મોત

- text


મોરબીના જોધપર નદી પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાંથી લાશ મળી

મોરબી : મોરબીના જોધપર નદી પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાંથી યુવાનની લાશ મળી આવી હતી.જેમાં મચ્છુ ડેમમાં માછીમાર કરવા જતા આ યુવાનનું ડૂબી જતાં મોત થયું હોવાનું ખુલ્યું છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઈન્દીરાનગરમાં રહેતા મુનાભાઈ કાથળભાઈ પરમાર (ઉ.વ.આશરે ૩૫) ની જોધપર ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાંથી લાશ મળી આવી હતી.પોલીસની તપાસમાં મૃતક મુનાભાઈ કાથળભાઈ પરમાર ગત તા.૧૯ ના રોજ જોધપર ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાં માછીમાર કરવા ગયેલ હોય કોઇપણ કારણોસર મચ્છુ ડેમના પાણીમાં પડી જતા તેની લાશ ગઈકાલે મચ્છુ ડેમના પાણીમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text