અણીયારીથી જેતપર સુધીના રસ્તાની બિસ્માર હાલત, લોકો પરેશાન

- text


 

ભયાનક ખાડા-ખબડા અને ડામર તો ક્યાંય જડ્યો જડે એમ નથી ,તાકીદે રીપેરીંગ કામ કરવા પ્રબળ માંગ

મોરબી:ચોમાસા બાદ રોડ રસ્તા ભાંગી તૂટી જતા હોય તેમજ મસમોટા ખાડાઓ પડી જતા લોકો હેરાન પરેશાન થતા હોય છે.આવો જ અણીયારીથી જેતપર સુધીનો રસ્તો છે .આ રસ્તે ચાલવું એ ખરેખર લોકોના માથાનો દુખાવો બની ગયું છે. અણીયારથી જેતપુર સુધીના રસ્તામાં ડામર તો ક્યાંય જડ્યો જડે એમ નથી.એટલું જ નહીં ખાડા-ખબડા પણ એટલા ભયાનક છે કે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આ રસ્તે વાહન ચલાવવું તો કઠિન છે જ પરંતુ ચાલીને પણ જઈ શકાય એમ નથી.આ રસ્તે મુસાફરી કર્યા બાદ કમરનો દુખાવો અચૂક પણે થઈ જાય એવું છે.ત્યારે આ બિસ્માર રસ્તો તંત્ર તાત્કાલિક રીપેર કરાવે તેવી લોકોની માંગ છે.

- text

ચોમાસા પહેલા પણ આ રસ્તો અતિ ભયાનક હતો.જે ચોમાસા બાદ થિગડા મારી રીપેર કરાયો પરંતુ છેલ્લા ઘણા સમયથી ફરી આ રસ્તો ઉબડખાબડ બન્યો છે.અને લોકોને આ રસ્તે ચાલવું ખૂબ મુશ્કેલ ભર્યુ બન્યું છે.ત્યારે તંત્ર વહેલામાં વહેલી તકે આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી રીપેરીંગ કામ કરાવે તેવી લોકોની પ્રબળ માંગ છે.

- text