- text
વાંકાનેર: વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા આજરોજ CDS બીપીન રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
- text
આપણા દેશનું ગૌરવ અને આપણે સૌ જે વ્યક્તિત્વ પર ગૌરવ લઈ શકીએ તેવા આપણી સેનાના ત્રણેય પાંખના વડા CDS બીપીન રાવત સહિત તમામ જવાનોની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા રાજગોર યુવા ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.
- text