મોરબીના સરદાર બાગમાં રવિવારે પુસ્તક પરબ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આગામી તા.5 ડિસેમ્બરને રવિવારે સવારે 9-30 થી 11 વાગ્યા દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસ્તક પ્રેમીઓને મનગમતા પુસ્તકો ઘરે વાંચવા લઈ જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે ઘણા સમયથી પુસ્તક પરબ ટીમ દ્વારા સરદાર બાગમાં પુસ્તકો વાંચવા માટે ખુલ્લા મુકવામાં આવે છે પણ કોરોના કાળના લાંબા આરસા બાદ ફરી આ પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું છે અને નિત્યક્રમ મુજબ દર મહિના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text