મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી સંવિધાન દિવસની ઉજવણી

- text


ચીફ ઓફિસરની હાજરીમાં આમુખનું વાંચન કરાયું

મોરબી : મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ચીફ ઓફિસરની હાજરીમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી અને આમુખનું વાંચન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સમતા ફાઉન્ડેશન સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચાલતા નિ:શુલ્ક ક્લાસીસ દ્વારા 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસના અનુસંધાને સંવિધાન દિવસની ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ મોરબી તાલુકામાં ગાંધી ચોક ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યા હતા અને આમુખનું વાંચન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ માટે રાહુલભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, સાવનભાઈ વાઘેલા, કૌશિકભાઈ પરમાર, ધર્મેશભાઈ મકવાણા, હેતલબેન જાદવ દ્વારા પ્રોગ્રામ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી તેમજ આ પ્રસંગે મોરબીના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા હાજર રહેલ હતા. જેમનું સમતા ફાઉન્ડેશન દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text