લક્ષ્મીવાસના સરપંચની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ગામલોકો દ્વારા અભિવાદન

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપભાઈ સંઘાણીની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ગામલોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગત તારીખ 21/11/’21 ને રવિવારના રોજ માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના યુવા, જોશીલા અને એજ્યુકેટેડ સરપંચ જયદીપભાઈ સંઘાણીની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા સૌ ગ્રામલોકોએ તેમનું ઉષ્માભેર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને સાથે સાથે કેક સેલિબ્રેશન કરીને શુભેચ્છાઓ પાઠવી અને વડીલોએ ઉતરોતર રાજકીય પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવી હતી. તથા આ પ્રોગ્રામમાં સરપંચ દ્વારા ગત પાંચ વર્ષમાં થયેલ કામગીરીના લેખા જોખા કરી સૌ ગ્રામજનોને જાણકારી આપી અને આમ જ ગામમાં આગામી દિવસોમાં ગામની સાથે કંધેથી કંધો મિલાવીને ગામના વિકાસમાં હરહંમેશ સાથે રહેવાનું વચન આપ્યું અને વિશ્વાસ આપ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text