મોરબીમાં પંચાસર રોડ પર નગરપાલિકા દ્વારા રખડતા ગૌવંશજોના રહેઠાણની કામગીરી ચાલુ

- text


મોરબી : મોરબીમાં પંચાસર રોડ પર નગરપાલિકા દ્વારા રખડતા ગૌવંશજોના રહેઠાણની અલાયદી સુવિધાની કામગીરી ચાલી રહી છે.

મોરબી નગરપાલિકા સંચાલિત રખડતી ગાયો તેમજ તેમના વંશજોને રાખવા માટે પંચાસર રોડ ઉપર અલાયદી સુવિધા ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આ માટે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, દેખરેખ રાખનાર રામભાઈ જે.સી.બી.વાળા તેમજ તમામ સદસ્યોના સહીયારા પ્રયાસથી વ્યવસ્થા થઈ રહી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં મોરબીવાસીઓને મળશે. તેમ કે. કે. પરમારની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text