“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સરવડ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો

- text


મોરબી : “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લામાં સરવડ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-મોરબી હસ્તકના સરકારી આયુર્વેદ દવાખાના-ભાવપર, મોટા દહીસરા અને જુના ઘાટીલા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ને અનુલક્ષીને નિયામક, આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના માર્ગદર્શન હેઠળ સરવડ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વૈદ્ય શ્રીબા જાડેજા (મે.ઓ. ભાવપર), વૈદ્ય દિપ્તી કડેચા (એમ.ઓ. મોટા દહીસરા) અને વૈદ્ય અલ્તાફ શેરશિયા (એમ.ઓ. જુના ઘાટીલા)એ સેવા આપી હતી.

આ કેમ્પમાં OPDનો 88 લોકોએ, સુવર્ણપ્રાશનનો 60 લોકોએ, અગ્નિકર્મનો 35 લોકોએ, કોરોના પ્રિ. ટેબનો 170 લોકોએ, લાઈવ ઉકાળાનો 105 લોકોએ અને ડાયાબીટીશ ચેકઅપનો 52 લોકોએ લાભ લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text