લજાઈના વામજા બંધુઓ દ્વારા સદગત માતા-પિતાના સ્મરણાર્થે રૂ. 2.51 લાખનું હોસ્પિટલને અનુદાન

- text


ટંકારા : લજાઈના પાટીદાર બંધુઓએ સદગત માતા-પિતાના સ્મરણાર્થે સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અનુદાન આપ્યું છે.

મોરબી પાટીદાર સંચાલિત આરોગ્ય ભવન અમદાવાદ – સિવિલ હોસ્પિટલની સામે આવેલ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને ઘનશ્યામભાઈ વામજા, પરેશભાઇ વામજા અને ગૌતમભાઈ વામજા એ તેમના માતા-પિતા સ્વ. વલમજીભાઈ ગણેશભાઈ વામજા અને સ્વ. દયાબેન વલમજીભાઈ વામજા કે જેમની જન્મતારીખ અને મરણતારીખ એક જ છે, તેમના સ્મરણાર્થે હોસ્પિટલમાં એક રૂમ માટે રૂ. 2,51,000 નું દાન આપેલ છે.

આમ, રૂપિયા બે લાખ એકાવન હજારનું દાન આપીને ટંકારા તાલુકાના લજાઈ ગામ અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. અને વામજા પરિવારે “સેવા પરમો ધર્મ” સૂત્રને ચરિતાર્થ કરેલ છે. ઉલ્લેખનીય છે કે દાતા ગૌતમભાઈ વામજા ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ છે. ત્રણેય ભાઈઓને પાટીદાર સમાજે અભિનંદન પાઠવ્યા છે.

- text

આ પ્રસંગે સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ તરફથી દાતાઓનો આભાર માનવામાં આવ્યો છે. તેમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઈ એ. કાસુન્દ્રાની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text