વાંકાનેરમાં વીજશોક લાગતા બે યુવાનોના મોત

- text


અલગ અલગ વિસ્તારમાં વીજશોકથી બેના મોત થતા પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર પંથકમાં બે અલગ અલગ વિસ્તારમાં વિજશોકથી બેના મોત થયાની ઘટના સામે આવી છે.જેમાં વાડી વિસ્તારમાં અને એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત થયા હતા. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ભોજપરામાં રહેતા અરવિંદભાઇ પાલાભાઇ પટેલ (ઉ.વ.૩૩) ને ગઈકાલે ભોજપરા વાડીયે ઇલેક્ટ્રીક શોર્ટ લાંગતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના ભલગામ પાસે આવેલ વેંટો ફાર્મા પ્રાઇવેટ લીમીટેડમાં કામ કરતા પ્રકાશકુમાર નેશાદ (ઉ.વ.-૨૨ રહે.ભલગામ તા.વાંકાનેર જે.મોરબી) ને ગઈકાલે કામકાજ દરમિયાન વિજ કરંટ લાગતા તેમને ચોટીલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text