મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કાશ્મીરમાં શિક્ષકોની હત્યાના વિરોધમાં આવેદન

- text


 

મોરબી : શ્રીનગરમાં આતંકવાદીઓએ સંગમ ઇદગાહ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં ઘૂસી અલોચી બાગ વિસ્તારમાં રહેતા શિક્ષક સુપિન્દર કૌર અને મૂળ જમ્મુના રહેવાસી શિક્ષક દીપકચંદની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી કાશ્મીર ખીણમાં તાજેતરમાં જ ‘ધ રેસિસ્ટન્સ ફૉસ’ ઊભરી આવી છે, આ જ સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, આતંકીઓ એ હવે મોટા હુમલા કરવાના બદલે નિશાન બનાવીને નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું છે. સમાજનું ઘડતર કરી રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરી રહેલા શિક્ષકો ઉપરના હુમલા ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા વખોડી કાઢવામાં આવે છે, અને જલ્દી આતંકવાદીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે.

- text

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ શિક્ષક પરિવાર વતી મૃતક શિક્ષકોના આત્માને શાંતિ મળે તથા એમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીને દિનેશભાઈ ડી.વડસોલા અને સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિક કલેકટર એન.કે.મુછારને આવેદનપત્ર અર્પણ કરેલ છે.

- text