વાંકાનેરમાં તસ્કરો રોકડ, ચાંદીની વસ્તુઓ સહીત રૂ. 87,200 નો માલમત્તા ઉઠાવી ગયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરો રોકડ, ચાંદીની વસ્તુઓ સહીત રૂ. 87,200નો મુદામાલ ઉઠાવી ગયા છે.

વાંકાનેરમાં પ્રતાપપરા શેરી નં. 1માં લતાબેન ચંદુલાલ મહેતાના બંધ મકાનના ગત તા. 5ના 9-45 વાગ્યાથી તા. 6ના 10 વાગ્યા દરમિયાન તસ્કરો મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડી મકાનમા પ્રવેશી, રૂમમા રહેલા બે કબાટ કોસ જેવા હથીયાર વાપરી તેને ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડ રૂ. 22000 તથા બીજા કબાટમા રહેલ રોકડ રૂ. 18500 તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ રૂ. 87200ની ચોરી કરી લઇ ગયા છે. હાલમાં વાંકાનેર સીટી પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text