જીવ રાજી તો શિવ રાજી : બાળકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારે સરાહનીય કાર્ય

મોરબી : મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું. ખાસ કરીને દુધથી વંચિત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિત 1200 લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.

મોરબીમાં જન્મદિન હોય કે કોઈ તહેવારો હોય તેની ઉજવણી વિશિષ્ટ રીતે કરી ક્રાંતિકારી ભાત પાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના ત્રીજા સોમવારની પ્રેરણાત્મક ઉજવણી કરી હતી. ખાસ કરીને શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા નવ વર્ષથી ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી આજે શ્રાવણ માસના સોમવારે શિવલિંગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમને આપીને શિવને રાજી કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનો પૌષ્ટિક આહાર આજે શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સહિત ૧૨૦૦ લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ તકે યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે કંઇ મોટું કામ કર્યું નથી. આપણા જ ગામમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે. અમારું ગ્રુપ વર્ષોની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાનો ખુબજ આદર કરે છે. લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ નથી. પણ ખરેખર આપણે શિવને રાજી કરવા માંગતા હોય તો પહેલા જીવને રાજી કરવા પડે. જીવ રાજી હોય તો શિવ આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જશે. જો જીવ જ દુઃખી હોય તો તો શિવ કેવી રીતે રાજી થશે. એથી અમે દુઃખયા જીવને રાજી કરીને શિવને રાજી કરવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે. લોકો અમારી આ ભાવના અને હેતુનું અનુસરણ કરે તેવો અમારો આ કાર્ય પાછળનો ઉદેશ્ય છે. જો શિવજીના બધા જ ભક્તો આ રીતે વિચારે અને કર્મ કરે તો અમારો પ્રયાસ સફળ નીવડશે સાથે સાથે વેશ્વિક કોરોના મહામારી સામે ભગવાન મહાદેવને પ્રાથના કરીએ કે માનવજાતિ પર આવેલા આ મહાસંકટથી મુક્તિ અપાવે અને અમારું આ કાર્ય આગામી શ્રાવણ માસમાં પણ અવિરત રીતે ચાલુ રાખીશું તેવું તેમણે જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text