જંતુનાશક દવાની અસર થતા આધેડનું મોત 

- text


હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામમાં જંતુનાશક દવાની ઝેરી અસર થતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દેવીપુર ગામમાં રહેતા 58 વર્ષીય દયારામ દેવજીભાઇ જાદવ ગત તા. 27ના સવારના સાડા નવ વાગ્યાની આસપાસ પોતાના ગામે ખેતરમાં ઘાસ બાળવાની જંતુનાશક દવા ખેતરમાં છાંટતા હતા. જેના કારણે તેના શરીરે જંતુનાશક દવાની ઝેરી અસર થતા તબિયત બગડતા પ્રથમમોરબી ખાતે ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાતા સારવાર દરમ્યાન ગત તા. 28ના રોજ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે નોંધ કરવામાં આવી છે.

- text

- text