સરકારી ખરાબાની જમીનના ઝઘડામાં બઘડાટી, બે ઘાયલ

- text


મોરબીના લખધીરનગર ગામે મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના લખધીરનગર ગામે જમીનના ઝઘડાની માથાકૂટ ઉગ્ર બન્યા બાદ બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બે શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરતા બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે મહિલાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ) ગામે રહેતા ભારતીબેન ભુપતભાઇ ઝઝવાડીયા (ઉ.વ. ૩૦) એ આરોપીઓ મુકેશભાઇ પરસોતમભાઇ ડુબાણીયા, ભુપતભાઇ બાવલભાઇ દારોદરા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને છેલ્લા ચારેક વર્ષથી ખરાબાની જમીનનો એક આરોપીના સાળા જીગ્નેશ સાથે ઝગડો ચાલતો હોય, જે બાબતે ગઇ તા. ૧૪ ના રોજ ફરીયાદીના પતિને આરોપીના સાળા જીગ્નેશ સાથે બોલાચાલી થયેલ હોય તે બાબતની દાઝ રાખી આરોપીઓએ લોખંડનો પાઇપથી મુંઢમાર મારી અને સાહેદોને મુંઢમાર માર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text