- text
સરતાનપર ચોકડીથી રફાળેશ્વર સુધી વાહનોની કતારો લાગી
મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર કાયમી ટ્રાફિક સમસ્યાનું ગ્રહણ લાગ્યું હોય તેમ આજે ફરી મોરબી નેશનલ હાઇવે ઉપર આજે ફરી ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ હતી. જેમાં સરતાનપર ચોકડીથી રફાળેશ્વર સુધી વાહનોની કતારો લાગી હતી. આથી, ટ્રાફિક જામમાં ફસાતા અનેક લોકો હેરાન થયા હતા.
મોરબી નજીક નેશનલ હાઇવે ટ્રાફિક જામ માટે કુખ્યાત બની ગયો હોય એમ અહીંયા રોજિંદી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઓવરલોડ વાહનોની દાદાગીરી અને ઉપરથી સંબધિત તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હાઇવે ટ્રાફિકથી ત્રસ્ત થઈ ગયો છે. જેમાં આજે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. સરતાનપર ચોકડીથી રફાળેશ્વર સુધી ભારે વાહનોના થપ્પા લાગ્યા હતા. આથી, અનેક વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. તેથી, આ ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.
- text
- text