દીકરીને મળવા જાવ છું કહી ઘેરથી નીકળેલા વૃદ્ધા લાપત્તા

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામમાં રહેતા વૃદ્ધા ઘરે દીકરીને મળવા જાવ છું કહીને નીકળ્યા બાદ લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે.

વાછકપર મુકામે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઈ વઢુકીયાના દાદી નંદુબેન માવજીભાઈ વઢુકીયા (ઉ.વ. 73) ગત તા. 12 જૂનના રોજ તેમની દીકરીના ઘરે હડમતીયા જવાનું કહીને નીકળી ગયેલ છે. ફરિયાદીએ હડમતીયામાં રહેતા નીમુંબેનને ફોન કરતા જાણવા મળ્યું કે દાદી ત્યાં આવેલ નથી. ત્યારબાદ ફરિયાદીએ આજુબાજુના વિસ્તારમાં તથા અન્ય સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરતા દાદી ત્યાં પણ મળી આવેલ નથી. હાલમાં પોલીસે અરજી ધ્યાને લઇ વૃદ્ધાની શોધખોળ આદરી છે.

- text

- text