મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન : દેશમાં એક દિવસનો રાજકીય શોક

- text


રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

મોરબી : મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજીનું આજે નિધન થયેલ છે. જેના અન્વયે ગુજરાત સહીત દેશભરમાં એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવ્યો છે તેમજ રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાયો છે..

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ સર જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે તા. ૫મી જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય.

- text

- text