રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી કચેરીઓ 100% સ્ટાફ સાથે કાર્ય કરી શકશે

- text


આવતીકાલ શનિવારે સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે

મોરબી : રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી કચેરીઓ 100% સ્ટાફ સાથે કાર્ય કરી શકશે. તેમજ આવતીકાલ શનિવારે સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

- text

રાજ્ય સરકારની તમામ કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

- text