વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટરને ઓકિસજન મશીનો અર્પણ કરાયા

- text


મોરબી : અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટર-કન્યા છાત્રાલય ખાતે 8 ઓકિસજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે.

અમદાવાદના વિશ્વ ઉમિયા ધામને અમેરિકાના કડવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા 8 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે. જે વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબી ખાતે પાટીદાર કોરોના કેર સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ તકે બેચરભાઈ હોથી, વલમજીભાઈ અમૃતિયા, ત્રમ્બકભાઈ ફેફર, એ. કે. પટેલ, હિતેશ આદ્રોજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓફ વાપરવા દેવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text