રવાપરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

રવાપરમાં રહેતા 25 વર્ષીય કૈલાશબેન રાજેશભાઇ પગીએ ગઈકાલે તા. 15ના રોજ અજાણ્યા કારણોસર રવાપર રોડ પર શીવ મંદિરની બાજુમાં રાધા-કૃષ્ણ મંડપમાં ગળો ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃતકનો લગ્નગાળો 4 વર્ષનો છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસે પરિણીતાના અંતિમ પગલાંનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

- text