મોરબીમાં સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૪ ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે આરોપી કરશનભાઈ હમિરભાઈ રાઠોડ નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ ગઈકાલે આરોપી સામે અપહરણની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી તાલુકા પોલીસે આરોપી સામે આઇ.પી.સી કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text