કોઠારીયા (જડેશ્વર)માં સેવા સહકારી મંડળી દ્વારા સ્વખર્ચે ઓક્સિજન મશીનની વ્યવસ્થા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર)ની સેવા સહકારી મંડળીના કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે ઓક્સિજન મશીન વસાવી જરુર પડ્યે ગ્રામજનોને આપવામાં આવશે. હાલ મોરબી જીલ્લામાં ઓક્સિજન સિલીન્ડરની ઉણપ છે ત્યારે આ ઓક્સિજન મશીન પણ કોઈની જિંદગી બચાવશે. કોઠારીયા સેવા સહકારી મંડળીના કર્મચારીઓ પ્રદિપસિંહ ઝાલા, યાકુબભાઈ બાદી, પ્રવિણભાઈ રબારી દ્વારા પોતાના સ્વખર્ચે ઓક્સિજન મશીન વસાવી ગ્રામજનોની વ્હારે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.

- text